આપણા ધર્મમાં ઘણા બધા પુરાણો અને શાસ્ત્રો લખાયા કે. તેના વિષે બધા જાણતા હોય છે પણ તેની અંદર લખેલી બાબતો વિષે બાબતો વિષે બહુ ઓછા લોકો ને ખબર હશે.અઢાર પુરાણો માં ગરુડ પુરાણ નું એક આગવું મહત્વ છે. તમે ગરુડ પુરાણ વિષે સાંભળયુ હશે તેની અંદર એવી બાબતો વિષે જણાવ્યું છે કે મૃત્યુ પછી આપણું શું થાય છે. જયારે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યારે ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. પણ તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણ માં ફક્ત આવી બાબતો વિષે જ જણાવવા માં આવ્યું છે એવું નથી ગરુડ પુરાણ માં અમુક એવા ઉપાય વિષે પણ જણાવ્યું છે જે ઉપાય કરવાથી આપણા ઘર માં ક્યારેય ધન ની કમી નહિ આવે.
ગરુડ પુરાણ વાંચવાથી ઘણા લાભ થાય છે. અને આ પુરાણ વાંચવાથી મૃત્યુ સબંધી ઘણા બધી જાણકારી પણ આપણને મળી રહે છે. ગરુડ પુરાણ ની અંદર સ્વર્ગ, નર્ક , પાપ અને પુણ્ય દરેક વિષે જાણકારી આપવામાં આવી છે. આ બધી બાબતો વિષે તો જણાવ્યું છે સાથે તેમાં જ્ઞાન, વિજ્ઞાન અને ધર્મ અને નીતિ વિષે પણ વાત કરવામાં આવી છે. ગરુડ પુરાણ ની અંદર મોત વિષે જણાવ્યું છે સાથે જીવન જીવવાના અમુક રાઝ વિષે પણ જણાવ્યું છે.
પોતાના દિવસ ની શરૂઆત સૌ પ્રથમ ભગવાન ના નામ સ્મરણ કરી ને પછી જે વ્યક્તિ નિત્ય સ્નાન થી પવિત્ર થાય છે તેના શરીર માં નો એક અનેરી ઉર્જા નો સંચય થાય છે. અને જેનું મન અને તન પવિત્ર હોય ત્યાં પવિત્ર ધન કહેતા શુભ લક્ષ્મી નો વાસ થાય છે.
ગરુડ પુરાણમાં અમીર બનવાનો રાઝ પણ આપ્યો છે. તેમાં જણાવ્યું છે કે તમારે અમીર બનવું હોય તો પહેલા જરૂરી છે કે તમે સાફ કપડા પહેરો. તમારા કપડા સાફ અને સ્વસ્થ સુગંધિત હોવા જોઈએ. જે લોકો ગંધારા કપડા પહેરે છે તેઓ નું સૌભાગ્ય નષ્ટ થઇ જાય છે. જે લોકો ઘરમા ગંદા કપડા પહેરે છે તેઓ ના ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ થઇ શક્તો નથી.
જેઓ ઘરમાં ગંદા કપડા પહેરે છે. તેઓ ના ઘરમાં લક્ષ્મીજી ટકતા નથી. તેઓ ના ઘરમાં સૌભાગ્ય ટકતું નથી અને દરિદ્રતા હમેશા માટે વાસ કરી જાય છે. ઘણા લોકો એવા હોય છે જેઓ પૈસે ટકે ખુબ જ સુખી હોય છે. પણ તેઓ ખુબ જ ગંધારા હોય છે જેના લીધે એમના ઘરમાં ધન ધીમે ધીમે નષ્ટ થઇ જાય છે. આ માટે ચોખ્ખાઈ રાખવાથી માતા લક્ષ્મી હમેશા ઘરમાં રહે છે.
ઘર માં રોજ અગ્નિહોત્ર યજ્ઞ કરવાથી પણ ધન ની કમી દૂર થઇ શકે છે. અગ્નિહોત્ર યજ્ઞ કરવા ઘણી બધી જગ્યાએ ખુબ નાના એવા હવન કુંડ મળે છે. અગ્નિહોત્ર યજ્ઞ સૂર્ય ઉદય અને સૂર્ય અસ્ત એમ સૂર્ય ની હાજરી માં સવાર અને સાંજ ના સમયે કરવો જોઈએ. એક સમયે ભારત માં લોકો દરેક ઘરે અગ્નિહોત્ર યજ્ઞ કરતા. પણ હવે ના સમય માં માં જો હવન કે યજ્ઞ કરવો શક્ય ન હોય તો ભગવાન અને તુલસી આગળ ધૂપ અને દીવો કરવો જોઈએ.
દરેકે પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે દાન રોજ થોડું ઘણું દાન કરવું જોઈએ. યુગો થી આપણો ભારત દેશ દશાંશ નો દેશ રહ્યો છે. બીજા શાસ્ત્ર માં પણ કહેવામાં આવ્યું છે કે પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે પોતાની આવક નો 10મો અથવા 20 મો ભાગ ધર્માદા માં આપવો. સતપાત્ર ને ગૌદાન, અન્નદાન ને જ્ઞાન દાન એ આદિક દાન નો મહિમા ખુબ કહેવાયો છે.