શું તમે જાણો છો મીણબત્તીની સુગંધમાં રહેલ કેમિકલ શ્વાસ દ્વારા આપણા શરીરની અંદર જઈને સિગારેટની તુલનામાં ખુબજ વધારે હાનિકારક છે.
સિગારેટથી પણ વધારે નુકશાનકારક છે મીણબત્તી
સુગંધી મીણબત્તીઓ ને બર્થડે પાર્ટી, ક્રિસમસ પાર્ટી અથવા ફેમિલી ગેટ ટુગેધર દરમિયાન ઘરને સજાવવા માટે ઉપયોગ કરવો એ બધાને પસંદ હોય છે. આ તમારા ઘરને સજાવવા સિવાય ધરને સુગંધિત પણ કરે છે. પરંતુ, શું તમે જાણો છો કેન્ડલ તમારા ઘરને ટોક્સિક (ઝેરી) કેમિકલ થી ભરી દે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક છે. ઘણી બધી કેન્ડલ તો સિગારેટની જેમ એટલી બધી ટોક્સિક હોય છે કે હવાને કેન્સર સંબંધી કેમિકલથી ભરી દે છે. સુગંધીત મીણબત્તીમાં વધારે કેમિકલ હોવાને કારણે આરોગ્ય માટે ખૂબ જ જોખમી બની શકે છે. એટલા માટે આપણે મીણબત્તી ના લાંબા ઉપયોગથી દુર રહેવાની કોશિશ કરવી જોઈએ.
એલર્જી નું કારણ
મીણબત્તીના પેરાફીન વેક્સમાં ઓછામાં ઓછા 20 ઝેરી પદાર્થો શામેલ હોય છે. સૌથી વધારે ઝેરી એસીટોન, ફીનોલ, જિલિન, ક્રિસિલ અને બ્લોરોબેઝીંગ છે. આ કેન્સર, ફેફસાં માં બળતરા અને બ્રેઇન સહીત શરીરના અંગોને નુકશાન પહોચાડે છે. કેન્ડલમાં રહેલ સિન્થેટિક સુગંધ શ્વસન તંત્રમાં બળતરા નું કારણ બની, શ્વસન સ્ત્રાવને વધારે છે. મોટા ભાગના લોકોમાં એલર્જીક પ્રતિક્રિયાઓ નું કારણ બને છે. આ મીણબત્તીની હાનિકારક અસરો માંથી એક છે.
શ્વાસની સમસ્યાઓ અને અસ્થમા
મીણબત્તી માં ઉપયોગી થતું પેરાફીન નામનું વેક્સ (મીણ) અસ્થમા ને વધારે છે અને શ્વાસ સંબંધી સમસ્યાઓ નું કારણ બની શકે છે. મીણબત્તી જયારે બળે છે ત્યારે વેકસની એક વિચિત્ર ગંધ આવે છે, જે ફેફસામાં બળતરા અને શ્વસન સંબંધી સમસ્યાઓ નું કારણ બની શકે છે.
માથાનો દુઃખાવો
સુગંધ વાળી મીણબત્તી નું એક અન્ય નુકસાનકારક અસર માથાનો દુઃખાવો છે. મીણબત્તી નો ધુમાડો શરીર અંદર જાય છે ત્યારે મોટા ભાગના લોકોને માથાનો દુઃખાવો થાય છે.
કિડની માં ગાંઠ અને કેન્સરનું જોખમ
મીણબત્તી સળગાવતા ઓઈલ માંથી નીકળતો ધુમાડો, કિડની માં ગાંઠનું કારણ બની શકે છે. તેથી ઘણા આરોગ્ય નિષ્ણાતો કહે છે કે મીણબત્તીના જોખમી ધુમાડાથી બચવા માટે આનો ઉપયોગ ફક્ત જરૂરિયાત હોય ત્યારે જ કરવો. આ ઉપરાંત મીણબત્તી જયારે ઓગળે છે ત્યારે પેરાફીન થી હવામાં કેન્સર સબંધિત ધુમાડો પેદા થાય છે. તેની ગંધ ડીઝલ એન્જિન જેવી હોય છે અને આ ગંધને શ્વાસ મારફતે અંદર લેવાથી કેન્સરનું જોખમ વધે છે. આપણા સ્વાસ્થ્ય પર આ, મીણબત્તીની ખતરનાક અસરો માંથી એક છે.
નુકસાનકારક કેન્ડલ થી જોખમ ટાળવાના ઉપાયો
એરોમાથેરાપી અને તમામ પ્રકારની સુગંધીત મીણબત્તીઓ થી બચવું જોઈએ. પેરાફીન મીણબત્તીના વિકલ્પ તરીકે બીઝ્વેક્સ અથવા સોયા કેન્ડલ નો ઉપયોગ કરી શકો છો. જો તમે સુગંધીત મીણબત્તીનો ઉપયોગ કરી રહ્યાં છો તો લાંબા સમયના જોખમથી બચવા માટે તમારા ઘરના દરવાજા ખુલ્લા રાખવા.