કેળા વિષે આજે જાણ્યા પછી તમે કેળાને જુદી રીતે જોતા થઈ જશો….
કેળામાં ત્રણ પ્રકારની કુદરતી સાકર (શુગર) હોય છે: સક્રોઝ, ફુકંટોઝ અને ગ્લુકોઝ. આ ઊપરાંત પુષ્કળ ફાઈબર હોય છે, જે શરીરને તાત્કાલીક લાંબાગાળા ની શક્તિ પૂરી પાડે છે.
એક સંશોધનથી પુરવાર થયુ છે કે….ફક્ત ૨ કેળા ૯૦ મીનીટ સુધી જોરદાર શારીરિક શ્રમ માટે પૂરતા છે અને એટલા માટે દુનિયાભર ના રમતવિરો માટે કેળાએ એક નંબરનુ ફ્રુટ છે. જુદા-જુદા રોગોમાં કેળા કેવી રીતે કામ કરે છે તે જોઈએ:
ડિપ્રેશન
હમણા ‘માઈન્ડ’ નામની સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વે મુજબ જે લોકો ડિપ્રેશન થી પીડાઈ છે તેમને કેળાથી રાહત મળે છે. કારણકે….કેળામાં ટ્રીપ્ટોટીન નામનુ પ્રોટીન છે તેને શરીરને શેરોટોનીન માં રુપાંતરણ કરેછે. આ શેરોટોનીન, વ્યક્તિનો મુડ હળવો કરી, આનંદમાં આપે છે. આ ઉપરાંત કેળામાં વિટામીન B6 હોય છે જે લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ જાળવી રાખી વ્યક્તિને મૂડ માં રાખે છે.
એનેમીયા (નબળાઇ)
કેળામાં મોટા પ્રમાણમાં લોહતત્વ (આઇરન) હોય છે, જે લોહીમાં હેમોગ્લોબીન નુ પ્રમાણ સારુ કરે છે અને નબળાઇ દુર કરી શકે છે.
બ્લડ પ્રેશર
કેળા એકમાત્ર એવુ ફ્રુટ છે કે જેમાં ઉચ્ચતમ માત્રામાં પોટેશીયમ અને ઓછામાં ઓછી માત્રામાં સોલ્ટ હોય છે, જે બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવામાં ઉપયોગી થાય છે. અમેરીકા ની ‘યુ એસ ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેંશન’ વિભાગે કેળાના ઉત્પાદકોને “કેળા બ્લડ પ્રેસર અને સ્ટ્રોક રોકનાર” હોવાનો દાવો કરવાની ભલામણ કરી છે.
બ્રેઈન પાવર (મગજની શક્તિ)
અમેરીકા ની ટ્વીકેનહામ સ્કુલના ૨૦૦ વિધ્યાર્થી ને સવારના નાસ્તામાં અને રીસેસમાં કેળા આપી પ્રયોગ હાથ ધરતા માલુમ થયુ કે કેળામાં ભરપુર માત્રામાં પોટેશીયમ હોવાથી વિધ્યાર્થીઓ માં જાગ્રુતતા વધી.
કબજીયાત
પ્રચુર માત્રામાં ફાઈબર હોવાથી કબજીયાત મટાડે છે તેમજ આંતરડાનુ હલનચલન માટે યોગ્ય છે. આ ઉપરાંત કેળા રેચક હોવાથી આંતરડા સાફ રાખે છે.
પેટમાં લોચા વળવા
કેળાનુ મીલ્કશેક બનાવી તેમાં મીઠાશ તરીકે મધ ઉમેરી પીવાથી હેંગઓવર અથવા પેટમાં લોચા વળવાનુ બંધ થઇ જાય છે.
છાતીમાં બળતરા
કેળામાં કુદરતી એન્ટાસીડ હોય છે, એટલે જ્યારે પણ છાતીમાં બળતરા થતી હોય તો ૧ કેળુ ખાવાથી તુરંત રાહત આપે છે.
મગજની નસો ને શાંત કરે છે
કેળામાં વિટામીન બી ની માત્રા પુષ્કળ પ્રમાણમાં હોવાથી મગજની નસોને શાંત કરે છે.
મચ્છર કરડવુ
મચ્છર કરડવા પર કેળુ ઘસવાથી ખંજવાળ કે સોજો આવતો નથી.
પેટનુ અલ્સર
પાચનતંત્ર અને આંતરડાની અનિયમીતતા માટે કેળા ઉપયોગી છે, કારણકે કેળાનુ સુવાળાપણુ અને મુલાયમતા આંતરડા ની દિવાલ પર એક ક્રિમ ની જેમ પડ બનાવે છે.પેટના ચાંદા કે અલ્સરમાં ઓછુ એસીડ ઉત્પન થવા દઇ, અલ્સરને ઝડપથી રુઝ લાવવામાં મદદરુપ થાય છે. કેળા એકમાત્ર એવું કાચુ ફળ છે, જે પેપ્ટીક અલ્સરમાં ફાયદારૂપ પરિણામ આપી શકે છે.
તાપમાન કંટ્રોલ
કેળાથી શારીરિક અને માનસિક તાપમાન કંટ્રોલમાં રહે છે. થાઈલેન્ડમાં ગર્ભવતી મહીલાઓ કેળા ખાસ ખાય છે કારણ કે તેઓ ઈચ્છે છે કે આવનાર બાળકનુ તાપમાન સમતોલ રહે.
ઋતુ પરિવર્તનની બિમારી
ઋતુ પરિવર્તનને કારણે થતી બિમારી માં કેળા ઉપયોગી છે કારણકે કેળામાં મૂડ એનહેનસર કરતુ “ટ્રેપ્ટોફેન” કુદરતી સ્વરુપમાં ઉપ્લબ્ધ છે.
ધુમ્રપાન
જે લોકો ધુમ્રપાન છોડવા માંગતા હોય તેમના માટે કેળા અદભુત રીતે મદદરુપ થઇ શકે છે, કારણકે….કેળામાં વિટામીન B6, B12 ઉપરાંત પોટેશીસીયમ અને મેગ્નેશિયમ પણ હોય છે, જે શરીર માંથી નીકોટીન ઘટાડી વ્યસનમૂક્ત થવામાં ઉપયોગી છે.
માનસિક સ્ટ્રેસ
કેળામાંનુ પોટેશીયમ એક શક્તીશાળી મીનરલ છે. જે હદયના ધબકારાને સમતોલ કરે છે, મગજને પુરતુ ઓક્સિજન પુરુ પાડે છે અને શરીરમાં પાણી ને સપ્રમાણ કરે છે. જ્યારે આપણે માનસીક રીતે તણાવમાં હોય એ ત્યારે શરીરમાં પોટેશીયમનુ લેવલ ધટે છે. કેળા શરીરમાં ધટતા પોટેશીયમ ની પૂર્તી કરે છે.
કેળા ધણીબધી બીમારીઓ ની અદભુત સારવાર છે. કેળાને સફરજન સાથે સરખાવીયે તો…સફરજન કરતા…ચાર ગણુ પ્રોટીન, બે ગણુ કાર્બોહાઈડ્રેટ, ત્રણ ગણુ ફોસ્ફરસ, પાંચ ગણુ વિટામીન-એ અને લોહતત્વ, બે ગણા બીજા વિટામીન અને મીનરલ. ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં પોટેશિયસ અને વળી સસ્તા !!!!