શિયાળા માં ખાવો ઔષધીય ગુણધર્મ ઘરાવતો ગુંદર

$RLXESXZ

ગુંદર એ ઝાડમાં થતો એક ચીકણો પદાર્થ છે. આને પ્રાકૃતિક દ્રવ્ય પણ કહેવામાં આવે છે. આને ઔષધ રૂપે માનવામાં આવે છે. આ પ્રવાહીને જયારે ઝાડમાંથી કાઠવામાં આવે છે ત્યારે તે સફેદ રંગમાં વહે છે. તે જયારે ફ્રેશ હોય ત્યારે સફેદ આંસુના રૂપે હોય છે અને જયારે સુકાઈ ત્યારે આછા કાળા રંગનું થાય છે. આને જ ગુંદર કહેવાય છે.

ગુંદરના લોકો શિયાળામાં લાડવા બનાવે છે. તમે આને કાચો પણ ખાઈ શકો છો. આ સામાન્ય રીતે બધી દુકાનોમાં સરળતાથી મળી જાય તેવી વસ્તુ છે. આ સ્ફૂર્તિદાયક પદાર્થ છે. આને ઇસ્ટ ઇન્ડીયામાં ‘ગમ’ કહેવામાં આવે છે. આમાં લીમડાના ઔધીય ગુણ રહેલ હોય છે.

*  ગુંદર ને શિયાળામાં ખાવાથી લોહી ઘાટું બને છે. અ હૃદયની કઠોરતા દુર કરે છે.

*  ખરાબ થયેલ આંતરડા ને આ મજબુત બનાવે છે. ગુંદરની તાસીર ઠંડી છે.

*  આ શ્વાસ રોગ, ખાસી અને કફ જેવી નાની નાની બીમારીઓને દુર કરે છે.

*  ગુંદરના પૌષ્ટિક લાડુ ગર્ભવતી સ્ત્રી માટે એક સારો એવો સ્ત્રોત છે. આ કરોડરજ્જુ ના હાડકા મજબુત બનાવે છે.

*  સવાર સવારમાં ગુંદરના લાડુ દૂધ સાથે ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.

*  ગુંદરનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ ટળે છે. સાથે જ આ માંસપેશીઓને મજબૂત કરે છે.

*  જો રોજ સવારમાં એક ચમચી જેટલો ગુંદર ખાવામાં આવે તો સાંધાનો દુઃખાવો દુર થાય છે.

*  ફક્ત શિયાળામાં જ નહિ ઉનાળામાં સખ્ખત તડકાની લૂ થી બચવા માટે પણ તમે આને ખાઈ શકો છો.

*  પેશાબ કરતી વખતે થતી સમસ્યા કે પેશાબમાં જો બળતરા થાય તો પણ ખાવાનો ગુંદર ખાવાથી તમને ફાયદો થશે.

Comments

comments


7,101 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 6