* ફળ-ફૂલ અને હસતાં બાળકોની તસ્વીરો જીવન શક્તિનું પ્રતિક છે. આને પૂર્વ અને ઉત્તર દિશામાં લગાવવી.
* લક્ષ્મી અને કુબેરની તસ્વીર ઉત્તર દિશામાં લગાવવી. આમ કરવાથી ઘનનો લાભ વધી રહે છે.
* વાસ્તુ અનુસાર બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી. આમાં એકદમ ચોખું પાણી જ ભરવું. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
* શૌચ કરતા સમયે હંમેશાં મુખ ઉત્તર કે દક્ષિત દિશા તરફ રાખવું. આ નકારાત્મક ઉર્જાને નિયંત્રિત કરે છે.
* દુર્ઘટના ક્યારેય પણ થઇ શકે છે. આના માટે સાવધાની રાખવી જરૂરી છે. રાતના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ ટોટકાથી વ્યક્તિ કોઇપણ પ્રકારની પ્રાકૃતિક અને અપ્રાકૃતિક ઘટનાથી બચી શકે છે.
* નઝર દોષથી બચવા માટે મીઠાનો ઉપયોગ કરવો. આ ભારતીય પરિવાર વચ્ચે ફેમસ ટોટકો છે. ચપટી મીઠાને લઈને માથાથી પગ સુધી હાથથી ફેરવો. આમ કરવાથી નઝર ઉતરી જશે.
* રાત્રે ભોજન કરેલ વાસણો ધોયા વગર રાખી ન મુકવા. આનાથી ઘરમાં નેગેટીવીટી આવે છે.
* ઘરમાં બધા પ્રકારના વાસ્તુદોષ દુર કરવા માટે મુખ્ય દ્વાર પર એક કેળાનું વૃક્ષ અને તુલસીનો છોડ રોપવો.