આમ તો બધા યોગાસનમા આપણુ અલગ જ મહત્વ હોય છે. બધા જ યોગાસન શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ સુર્ય નમસ્કારને બધા આસનોમા સર્વશ્રેષ્ઠ માનવામા આવે છે. આ યોગાસનમા સંપૂર્ણ શરીરનું ઘણું સારૂ યોગાભ્યાસ થઈ જાય છે. આ આસનને દરરોજ કરવાથી શરીર નિરોગી અને બળવાન થઈ જાય છે. સાથે જ તેનાપ્રભાવથી ચહેરા પર ચમક આવી જાય છે. આ આસન બધી ઉમરના લોકોમાટે લાભદયક માનવામાં આવે છે.
- જો તમે નિયમિત 12 સુર્ય નમસ્કાર કરવાની ટેવ પાડી લો તો 30 દિવસમાં 3 થી 5 કિલો વજન ઉતરી શકે છે.
- આ માટે તમે 5 સુર્ય નમસ્કારથી શરૂઆત કરો અને ધીરે ધીરે 12 સુર્ય નમસ્કાર કરો
- ફ્કત વજન ઉતારવા માટે નહિ પણ કોઈપણ પ્રકારનાં સાંધાના દુખાવા પણ મટાડે છે.
- સૂર્ય નમસ્કાર કરવાથી મનની એકાગ્રતા વધે છે. એક પ્રકારનાં ધ્યાન હોવાથી તે તમને માનસીક શાંતી પણ આપે છે.
- સૂર્ય નમસ્કારની ટેવ શરીર લચલું બનાવે છે, જેને કારણે તમે ચુસ્ત દુરસ્ત રહો છો.
- સૂર્ય નમસ્કારની ટેવ ચયાપચયની પ્રક્રિયા સ્મુધ બનાવે છે જેથી પેટની ઠીક રહે છે.
- સૂર્ય નમસ્કાર તમારામાં તેજ બક્સે છે તેથી ચહેરાની રંગત અને નિખાર વધે છે.
- સૂર્ય નમસ્કાર તથા શરીરની ખરાબ મુદ્રાઓ પણ ઠીક થઇ જાય છે.