એક લોકમાન્યતા છે કે કાગડામાં અદભુત શક્તિ હોય છે. એ આવનારા સમયને પહેલાથી જ જાણી લે છે એટલે પેઢી દર પેઢી કાગડાના શુભ અને અશુભ શુકન પર ચર્ચા થતી રહી છે. શુકનશાસ્ત્રમાં પણ કાગડા સાથે જોડાયેલી કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ચાલો જાણીએ કાગડાના ક્યા વ્યવહારને શુભ અને અશુભ શુકનના રૂપમાં માનવામાં આવે છે.
– એવી માન્યતા છે કે કાગડાના ટોળાં આવીને છત પર ઘોંઘાટ કરે અને અંદર અંદર ઝઘડા કરવા લાગે તો આ સંકેત છે કે ઘરના માલિક પર સંકટ આવવાનું છે.
– બપોર પહેલા જો ઝાડ પર બેઠેલા કાગડાનો અવાજ પૂર્વ અથવા ઉત્તર દિશાથી સંભળાઈ દે તો આ સંકેત છે કે તમારો દિવસ લાભપ્રદ રહેશે. બધા જ સુખનો પણ આ સંકેત માનવામાં આવે છે.
– ઘરની છત પર આવીને કાગડો જો દક્ષિણની તરફ મુખ કરીને બોલે તો આ અશુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી ઘરમાં કોઈને મૃત્યુતુલ્ય કષ્ટનો સામનો કરવો પડે છે.
– ક્યાંય જઈ રહ્યા હોવ અને રસ્તામાં કાગડો કોઈ વાસણમાં પાણી પીતો દેખાઈ જાય તો આ સંકેત છે કે તમને ધન લાભ મળશે, જે કામમાં જઈ રહ્યા છો તેમાં સફળતા મળશે.
– કાગડો મોંમાં રોટલી અથવા માંસનો ટુકડો લીધેલો દેખાય તો આ સંકેત છે કે તમારી કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થશે.
– કાગડો જો શરીર પર બીટ કરી દે તો એવું માનવામાં આવે છે કે શારીરિક અને માનસિક પીડાનો સામનો કરવો પડી શકે છે.
– કાગડોનું કોઈ પણ વ્યક્તિના માથા પર આવીને બેસવું સારું શુકન નથી માનવામાં આવતું. તેનાથી રોગ તથા ધનની હાનિ થાય છે.
– સવારના સમયે કાગડો ઉડતો આવીને પગને સ્પર્શ કરે તો આ ખૂબ જ શુભ શુકન હોય છે. તેનાથી જીવનમાં પ્રગતિ થાય છે. ધનલાભ મળે છે.
– સવારે સૂઈને ઊઠો અને જુઓ કે તમારા ઘર પર કાગડાની કાંવ-કાંવ લાગેલી રહે તો આ સંકેત છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર