આ ભારતીય મંદિરોમાં તમને જોવા મળશે એકદમ હટકે પ્રસાદ

dhandya

આ બધા મંદિરો ભારતના સૌથી વધારે ચર્ચિત મંદિરો છે અને એ પણ પોતાના અલગ પ્રસાદને કારણે. પ્રાચીનકાળથી જ લોકો મંદિરોમાં ભગવાનને પ્રસાદ ચઢાવે છે. એમ માનવામાં આવે છે કે ભગવાનને પોતાનો મનપસંદ પ્રસાદ જો અર્પણ કરવામાં આવે તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ભારતમાં ઘણા બધા મંદિરો છે જેમાંથી અમુક અસાધારણ છે. મતલબ કે પ્રસાદની દ્રષ્ટિએ. તો ચાલો જાણીએ કયા મંદિરે ભગવાનને કયો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

કરણીમાતા મંદિર, બિકાનેર

GDeichmann-India-Taj-Rajasthan00534

રાજસ્થાનના બિકાનેર થી લગભગ ૩૦ કિમીના અંતરે ઉંદરો વાળા માતાનું મંદિર આવેલ છે. આ મંદિરને ‘મુષક મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં વીસ હજાર કરતા પણ વધુ ઉંદરો છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહી ઉંદરોએ એઠો કરેલ પ્રસાદ ભકતજનો ને વહેચવામાં આવે છે.

બાલ્સુબ્રમણીયા મંદિર, અલેપ્પી

Balasubramaniam temple, Kerala

કેરલના અલેપ્પી માંબનેલ આ મંદિરમાં ભગવાન બાલામુરુગન જી વિરાજમાન છે. તેમને ચોકલેટ અત્યંત પસંદ છે. તેથી ભક્તો ચોકલેટ ચઢાવીને મન્નત માંગે છે અને બાદમાં આ જ ચોકલેટ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે.

ચાઇનીઝ કાળી મંદિર, કોલકાતા

Kolkata-s-Kali-20469

આ મંદિર કોલકાતાના ટંગરી જીલ્લામાં આવેલ છે. અહી કાલીમાતા ને નુડલ્સ અને ફ્રાઈડ રાઈસનો ભોગ ચડાવવામાં આવે છે. સ્થાનીય લોકો અનુસાર આ મંદિર બનાવવામાં ચીની લોકોનો ઘણો મોટો હાથ છે. અહીની જગ્યાને ‘ચાઈના ટાઉન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આના વિષે ડીટેઈલ્સ માં અમે તમને જણાવી ચુક્યા છીએ.

અલાગાર મંદિર, મદુરે

koodal-alagar-(3)-fb_original

શું તમે ક્યારેય ભગવાનને પ્રસાદ તરીકે ઢોસા અર્પણ કર્યા છે? તામિલનાડુ ના આ મંદિરમાં ભગવાન વિષ્ણુને ઢોસા અર્પણ કરવામાં આવે છે, તેથી બાદમાં આ ભોગ દર્શનાર્થીઓ ને આપવામાં આવે છે.

ખબીસ બાબા મંદિર, સીતાપુર

Khabees baba temple, Sitapur

ઉત્તરપ્રદેશમાં આવેલ ખબીસ બાબા મંદિરમાં ભગવાનને દારૂ નો ભોગ લગાવવામાં આવે છે. તેથી ભક્તોને પણ પ્રસાદ તરીકે દારુ આપવામાં આવે છે.

Comments

comments


5,628 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 3 =