અમદાવાદ નું દર્શનીય અને અટ્રેકટીવ સ્થળ ‘અક્ષરધામ મંદિર’

925752570s

ગુજરાતના લોકો રાજ્યની જીવંત સંસ્કૃતિને દર્શાવે છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે પોતાના જોડાણને કારણે અમદાવાદનું ખુબજ ઐતિહાસિક મહત્વ છે. આ ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ શહેર માંથી એક છે. અહી દુનિયાભરના લોકો પ્રવાસ માટે દરવર્ષે આવે છે. અમદાવાદને ગુજરાતનું સૌથી પ્રખ્યાત પ્રવાસી સ્થળ એટલા માટે માનવામાં આવે છે કારણકે અહી શિલ્પકલામાં ઈસ્લામિક અને હિન્દૂ શૈલીનો અનોખો મેળ છે.

અમદાવાદ શહેર વિષે…

balloon-rides

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. ભારતમાં આ શહેર સાતમાં સ્થાને છે. 5.1 મિલિયન જેટલી વસતી ધરાવતું આ શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે. પહેલા ગુજરાતની રાજધાની આ શહેર જ હતું. ત્યારબાદ આ સ્થાન ગાંધીનગર ને આપવામાં આવ્યું. આ શહેરનું નામ ‘સુલતાન અહમદ શાહ’ ના નામ પરથી પડ્યું હતું. સુલતાન અહમદ શાહે આ શહેરની સ્થાપના 1411 સદીમાં કરી હતી.

અક્ષરધામ મંદિર વિષે…

private-tour-ahmedabad-city-sightseeing-day-tour-in-ahmedabad-216197

આ મંદિર સનાતન ધર્મમાં વિશ્વાસ રાખનાર ‘સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર’ છે. આ મંદિરનું નિર્માણ ગુલાબી પથ્થરોથી કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન સ્વામિનારાયણ ની પ્રતિમા રાખવામાં આવી છે. જે આ સંપ્રદાય ના સ્થાપક છે. મંદિરમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ રાખવામાં આવી છે, જે સમગ્ર રીતે ‘સોનાથી મઢેલી છે.

આ મંદિરમાં લાઈટ અને સાઉન્ડ શો પણ થાય છે જેમાં સનાતન ધર્મ સાથે જોડાયેલ અનેક વાતો જણાવવામાં આવે છે. આ દરમિયાન આમાં વેદો વિષે, પૌરાણો વિશે અને ઘણા હિંદુ ધર્મના ગ્રંથો વિષે માહિતી જણાવવામાં આવે છે.

આ મંદિરના ફુવારાઓ અને બગીચાઓ ખુબજ આકર્ષક છે. અમદાવાદ આવતા લોકો સ્મારક અને મંદિરની અનોખી સુંદરતા જોવા માટે આવે છે. આ મંદિરને ગુજરાતનું પ્રમુખ અને પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં ગણવામાં આવે છે. આ ભક્તિ, વાસ્તુકલા, કલાકાર્યો અને પ્રદર્શીયોનો એક દુર્લભ સંયોગ છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ આ મંદિરની સૈદ્ધાંતિક મૂર્તિ છે.

Worlds-Largest-Hindu-Temple-Akshardham-Opening-in-New-Jersey-3

આ મંદિર અમદાવાદનું પ્રખ્યાત મોટેરા સ્ટેડિયમની નજીક જ આવેલ છે. આ ભવ્ય મંદિરમાં એકવાર મોટો આંતકી હુમલો પણ થઇ ચુક્યો છે. તેથી મંદિરની સુરક્ષા માટે કડી યોજના કરવા આવી છે. આ મંદિરમાં હાઈટેક પ્રદર્શન છે જેમાં જવા માટે ટિકિટ લેવી પડે છે. નાના બાળકોને રમવા માટે મંદિરમાં ઘણા બધા પ્રકારની ગેમ્સ પણ છે.

મંદિરમાં ભોજન માટે ભોજનાલય પણ છે. અહી ભોજન માટે સ્વામિનારાયણ ખીચડી સહીત બીજા પણ ધણા સ્વાદિષ્ટ વ્યંજનો બને છે. અહીનું ભોજનાલય પણ ખુબજ સુંદર એક એકદમ સાફ છે. જે રીતે દિલ્હીના સ્વામિનારાયણ મંદિરના કેમ્પસમાં ફોટોગ્રાફી, મોબાઇલ, ફોન વગેરે પર પ્રતિબંધ છે તેવી જ રીતે અહી પણ પ્રતિબંધ છે.

આ મંદિરમાં ત્રણ માળ છે જેમકે ગ્રીન મંડપમ અથવા મુખ્ય માળ, વિભૂતિ મંડપમ અથવા ઉપલો માળ અને મહાપ્રસાદી મંડપમ અથવા ગ્રાઉન્ડ ફ્લોર. આ મંદિરમાં 7 ધ્રુવો, 210 સિંગલ સ્ટોલ બીમ, 25 ઘુમ્મટો તથા 8 મોટી બારીઓ છે.

Akshardham Mandir, Ahmedabad  photo 4-

આ મંદિર 23 એકર જમીનમાં ફેલાયેલ છે. મંદિરની અંદર નીલકંઠ અને સહજાનંદ હોલ છે. શનિવાર અને રવિવારે રાત્રે મંદિરને પ્રકાશમાન કરવામાં આવે છે. મંદિર ખુલવાનો સમય સવારે 9.30 થી રાત્રે 7.30 સુધી છે. આ ઉપરાંત ભોજનાલય માં ભોજન કરવાનો સમય સવારે 10 વાગ્યેથી રાત્રે 8 વાગ્યા સુધી છે.

આના સિવાય અમદાવાદમાં અન્ય લોકપ્રિય સ્થળો

maxresdefault

* સાબરમતી આશ્રમ / મહાત્મા ગાંધીનું ઘર

* ટેક્સટાઇલ્સનું કેલિકો મ્યુઝિયમ,

* અડાલજની વાવ,

* ગુજરાત સાયન્સ સિટી,

* વસ્ત્રાપુર લેક,

* હાથી સિંહ જૈન મંદિર,

* કાંકરિયા તળાવ,

* ભદ્રનો કિલ્લો,

* રાની સિપરી મસ્જિદ,

* વૈષ્ણોદેવી મંદિર,

* ઝૂલતો મિનારો વગેરે….

અમદાવાદમાં શોપિંગ

Law-Garden-Stall4

તમે મંદિરથી પાછા ફરતા સમયે અમદાવાદના શોપિંગની મજા માણી શકો છે તમને અહી પટોળા રેશમ સાડી, બાંધણી અને ટ્રેડિશનલ ચણીયા ચોળી, લગ્ન માટેના કપડાં, વોલ હેંગિંગ, ભરતકામની વસ્તુઓ, ક્રેડલ ક્લોથ, એમ્બ્રોઇડરીના પગરખાં, આયર્નનું ફર્નિચર અને સુશોભન એક્સેસરીઝ વગેરે ખરીદી શકો છો.

અમદાવાદમાં કેવી રીતે પહોચવું?

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સિવાય ગુજરાતમાં 10 સ્થાનિક એરપોર્ટ્સ છે. મોટાભાગના સ્થાનિક એરપોર્ટ્સ આ રાજ્યને ભારતના અન્ય ભાગો સાથે જોડે છે.

રેલ્વે દ્વારા

ગુજરાતનું રેલ્વે નેટવર્ક ખૂબ જ સારું છે. રેલ્વેથી અહી માત્ર રાજ્ય જ નહિ પણ રાજ્યની બહાર ભારતના બાકીના ભાગ પણ સારી રીતે જોડાયેલા છે.

રોડ દ્વારા

અહીના રાજ્યના રસ્તાની કુલ લંબાઈ 68,900 કિલોમીટર છે. જેમાંથી 1572 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે.

Comments

comments


16,281 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 1 =