દોસ્તો આજે આપણે એક લીંબુના છોડ વિશે વાતો કરવાની છે. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે લીંબુ નું ઝાડ તો એક દમ મોટું હોય છે પણ તેમાં પૂરતા પ્રમાણ માં લીંબુ હોતા નથી. તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા તમે જે કુંડામાં લીંબુના છોડને વાવો તે ૧૪ ઈંચનું હોવું જોઈએ. તેનાથી વધારે સાઈજનું કુંડુ પણ ચાલશે. માટી કે સિમેન્ટનું જ કુંડુ લેવું. અને આ બંનેમાંથી ન મળે તો જ પ્લાસ્ટીકનું કુંડુ લેવું.
જ્યારે તમે કોઈ નવો લીંબુ નો છોડ વાવતા હોય તો તેના કુંદા માં ૫૦ % માટી નાખવી અને ૩૦ % મોટા હોય તેવા કાંકરાવાળી રેતી નાખવી અને બાકીના સુકાય ગયેલા વૃક્ષના પાન પડેલા હોય તેનો ભૂકો કરીને નાખવો જોઈએ. એ માટીમાં ફંગસ નથી લાગવા દેતું એટલે આવી રીતની માટી કુંડામાં નાખવી.
હવે તમારે લીંબુ ના છોડ ના કુંદા ને એવી જગ્યાએ રાખવાનો છે કે જ્યાં સારો તડકો આવતો હોય. પણ તેના પર ફક્ત ૫ થી ૬ કલાક માટેજ તડકો આવે એવી જગ્યા પસંદ કરવી. જો તમારી છત ઉપર કે આંગણમાં સારો તડકો અને છાંયો ન આવતો હોય તો લીંબુના છોડમાં લીંબુ ઓછા પ્રમાણમાં આવશે એટલા માટે જ્યાં લીંબુનો છોડ રાખો ત્યાં તડકો આવવો જોઈએ.
અને ખાસ વાત તો એકે તેને પૂરતા પ્રમાણ માં ખાતર જોશે દર મહીને આ છોડમાં મોનમિલ નાખવું જોઈએ. આ ખાતર જાનવરના હાડકામાંથી બને છે. આ ખાતરને આપણા કુંડામાં મૂળથી દુર ગોળખાંડો બનાવી નાખવું. મોનમિલમાં વધારે પ્રમાણમાં ફોસ્ફરસ હોય છે જે છોડ માટે સારું કહેવાય છે અને છોડને કેલ્શિયમ પણ આપે છે.
તમે કેળાની છાલને સૂકવી ને અને છાલનો પાવડર બનાવી આ છોડમાં નાખી શકો છો આ બધા ખાતર તો સોલીડ હતા હવે વાત કરીએ લીક્વીડ ખાતરની. બીજું એક ડોલ પાણીમાં કેળાની છાલ, લીંબુના છોતરાં અને ગોળ, વેસ્ટ કમ્પોઝર એ બધું મિક્સ કરીને પાણીને એક અઠવાડિયા સુધી સડવા દેવાનું છે. પછી એ પાણીને માટીને પીવડાવવામાં આવે અને છોડના પાંદમાં પણ સ્પ્રે દ્વારા છાંટવામાં તો પણ ફાયદાકારક છે.
મિત્રો દર વર્ષે લીંબુના છોડમાં ૨ થી ૩ વખત ફૂલ આવે છે અને જેવો શિયાળો શરૂ થઈ કે તેના પાંદડા ખારવા લાગે છે. તો તમારે એ છોડને કાઢીને ફેંકી ન દેવું જોઈએ. આ એક કુદરતી પ્રોસેસ છે. તે કરવાથી તમારા લીંબુના છોડમાં લીંબુ પણ વધારે આવશે અને સુકાશે પણ નહિ.