કહેવામાં આવે છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે અને ઘરતી પર તેમનું મિલન થાય છે. અગ્નિને સાક્ષી માનીને જયારે છોકરો-છોકરી સાત ફેરા ફરે છે, ત્યારે તેઓ પતિ-પત્ની બને છે. આ નવજોડા નું જીવન સુખમય બને તે અંગે શયનકક્ષમાં શું-શું રાખવું અને શું નહિ તે અંગે અહી જરૂરી વાસ્તુ ટીપ્સ જણાવી છે.
* શયનકક્ષ માં દર્પણ રાખતા બચવું. કારણકે આ અનાવશ્યક વિવાદો અને ઝઘડાઓ ઉત્પન્ન કરે છે. જો દર્પણ મુકેલ હોય તો રાત્રીના સમયે તેને ઢાંકી દેવો.
* શયનકક્ષ માં એવી વસ્તુઓ રાખવી જેનાથી દંપતીમાં પ્રેમ વધે. જેમકે દિલના આકારની ફોટોફ્રેમ કે કોઈ યાદગાર તસ્વીરો.
* દરવાજામાં જે આગળીયો હોય છે તે ઓઈલ ન મળવાથી કિચુડ-કિચુડ અવાજ કરતો હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ અવાજ અશુભ સંકેતો લાવે છે. તેથી આગળીયા માં ઓઈલ રેડતા રહેવું.
* બેડરૂમમાં હંસના જોડાની તસ્વીર મુકવાથી કપલમાં પ્રેમ વધે છે.
* કોઇપણ ઘાર્મિક ચિત્ર બેડરૂમમાં ન રાખવું. આ તમારી ઉર્જાને આધ્યાત્મવાદ તરફ લઇ જાય છે.
* શયનકક્ષ માં અમુક સુગંધીદાર મીણબત્તીઓ રાખવી. જે રૂમમાં પ્રાકૃતિક મહેક નો અહેસાસ કરાવે. આ સિવાય અન્ય નાના નાના અગ્નીતત્વો પણ રાખવા જે શુભ મનાય.
* કપલની પોતાની કોઇપણ એક તસ્વીર પૂર્વ દીશાની દીવાલ માં લગાવવી. આ તમારા સબંધમાં સકારાત્મકતા લાવે છે.
* બેડરૂમમાં અથાણું, કાતર, ચાકુ ન રાખવું. આનાથી તમારા સબંધોમાં ખટાશ આવી શકે છે.
* શયનકક્ષ ને અલગ અલગ પ્રકારના ક્રિસ્ટલથી સજાવો. આ તમારા સબંધોને ઉજ્જવળ કરવામાં સહાયક થશે.
* શયનકક્ષને પ્રકાશ અને આંખોને ગમે તેવા રંગોથી પેંટ કરવું.