શ્રદ્ધાથી કરાતા ઉપવાસ હેલ્થ માટે વરદાન ક્યારે બને?

આજના સમયમાં આપણું જીવન અસંયમિત બની ગયું છે. અતિવ્યસ્તતાને કારણે આપણી ખાણી-પીણી, રહેણી કરણી, ઊંઘ ઉપર મોટી અસર થઇ છે. આના કારણે આપણું શરીર નબળું પડી જાય છે અને તેમાં વિકાર ઉત્પન્ન થાય છે. સમય પહેલા જ આંખો નબળી પડવા લાગે છે, વાળ ઉતરવા લાગે છે, વધુ પડતો થાક લાગે છે, ડાયાબિટિસ જેવા અનેક રોગો થાય છે. જેના નિવારણ માટે એક સફળ ઉપચાર છે, ઉપવાસ. અઠવાડિયામાં એક દિવસ જો ઉપવાસ રાખવામાં આવે તો શરીરની ક્રિયાઓને સંતુલિત કરી શકાય છે.

હાલ શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે આપણે ત્યાં લોકો આખો મહિનો ઉપવાસ કરી રહ્યા છે. તો કેટલાક માત્ર સોમવારના દિવસે ઉપવાસ કરી રહ્યા છે. ધાર્મિક દ્રષ્ટિએ તો જીવનમાં ઉપવાસ પોતાની જાતને સંયમિત કરવાનું શ્રેષ્ઠ હથિયાર માનવામાં આવે છે. આયુર્વેદમાં તો ઉપવાસના અનેકાનેક ફાયદા ગણાવ્યા છે. જો કે આજે ઉપવાસનો આપણે ત્યાં ઘણો કન્સપ્ટ બદલાઈ ગયો છે અને લોકો ઉપવાસના નામે તીખા, તળેવા, વધુ કોલસ્ટ્રોલવાળા ખોરાક આરોગી જાય છે. કેટલાક લોકો તો પાતળા થવા શ્રાવણ મહિનો કરે છે ને આ દરમિયાન તેઓ ભારે ખોરાક ખાઈ વજન બે ગણુ વધારી દેતા હોય છે. આ ઉપવાસના નિયમો નથી. ઉપવાસ સાથે બીજી પણ કેટલીક મહત્વની વાતો જરૂરી છે…

-ઉપવાસમાં અન્નનો ત્યાગ કરવો, ક્રોધ, વાણી, તૃષ્ણા પર નિયંત્રણ રાખવું.

-સિનેમા, ટીવી, ચા વગેરે વસ્તુઓથી દૂર રહેવું. 

તમે અનુભવશો કે થોડા જ દિવસોમાં તમારામાં પરિવર્તન આવશે અને શરીર સ્ફૂર્તિલું બનશે. આળસ દૂર થશે. અઠવાડિયામાં એક દિવસનો ઉપવાસ કેટલીયે બીમારીઓને શરીરમાં પ્રવેશતા પહેલા જ દૂર કરી દેશે. એટલું જ નહીં ઉપવાસ શારીરિક શક્તિઓની સાથે આત્મબળ પણ પ્રદાન કરશે. ઉપવાસ બાદ આપ જોશો કે આપની કાર્યક્ષમતામાં અકલ્પનિય વધારો થયો છે, જેના કારણે અન્યોની સરખામણીમાં આપ પોતાની જાતને વધારે સારી રીતે દર્શાવી શકશો. ઉપવાસથી શરીરને કોઇ નુક્સાન નથી થતું પણ ફાયદો જ ફાયદો થાય છે. ઉપવાસ મનુષ્યને મન પર કાબુ મેળવતા પણ શીખવે છે.

Comments

comments


3,584 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 4 =