દરેકના જીવનમાં સુખી થવા અને સફળતા મેળવવા એક સાચા ગુરુ તો હોવા જ જોઈએ!

tj-vs-bl

આ વર્ષે 19 જુલાઇ એટલે કે આજે ‘ગુરુપૂર્ણિમા’ છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસ નો જન્મ પણ થયો હતો. આને ‘ગુરુપૂર્ણિમા’ ની સાથે સાથે ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવાય છે. દરેકના જીવનમાં કોઈને કોઈ સાચા ગુરુ તો હોવા જ જોઈએ, જે જેને જીવનની માર્ગદર્શિકા આપે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુની વિશેષ પૂજા કરે છે, ભેટ આપે છે.

આ ગુરુની આરાધ્યા અને શ્રદ્ધાનો દિવસ છે. આ પવિત્ર દિવસે અમે તમને ગુરુના મહત્વ અંગે એક મોટીવેશનલ સ્ટોરી સાથે રૂબરૂ કરાવવાના છીએ. તો ચાલો જાણીએ આ રોમાંચક અને રીયલ કહાની….

એક દસ વરસનો બાળક હતો. તેનું નામ હતું વિવેક. તેનો ડાબો હાથ કોઈ અકસ્માતમાં છેક ખભામાંથી કપાઈ ગયો હતો. વિવેકને જૂડો શીખવાની ખૂબ જ ઇચ્છા હતી. તે એક ગુરુ પાસે ગયો. ગુરુએ એને જૂડો શીખવવાની સંમતિ આપી. ગુરુએ એને બીજા વિદ્યાર્થીઓથી તેને અલગ પાડી દીધો. હવે ગુરુએ એને ફકત એક જ દાવ શીખવવાનું શરૃ કર્યું. વિવેક ગુરુ જેમ કહે તેમ ખંતથી પોતાની પ્રેકિટસ કરતો.

એક વખત જૂડોની સ્પર્ધા યોજાઈ. વિવેક ફાઈનલ સુધી પહોંચી ગયો. ફાઈનલમાં એનો પ્રતિસ્પર્ધી મોટો-ઊંચો અને હટ્ટો-કટ્ટો યુવાન હતો. જોવાવાળા બધાને થતું હતું કે આવા મહાબળવાન શરીર ધરાવતા હરીફની સામે એક હાથવાળો વિવેક તરત જ હારી જશે, પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે સ્પર્ધા શરૃ થવાની બે મિનિટમાં જ એક હાથવાળો એ વિવેક જીતી ગયો ! જોનાર દરેકને નવાઈ લાગે એ તો બરાબર. પરંતુ એ એક હાથવાળા વિવેકને ખુદને નવાઈ લાગી.

karate_stock-1562258

ઘરે પાછા ફરતા પહેલા કિશોર તેના ગુરુ પાસે ગયો અને તેમને વંદન કરીને કહ્યું કે, ‘ ગુરુજી. હું ફકત એક જ દાવ બરાબર જાણતો હતો છતાં કઈ રીતે જીતી ગયો ?’

ગુરુ ધીમેથી હસીને બોલ્યો,’ દીકરા ! તેં આ એક એવા દાવ પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે જે જૂડોમાં સૌથી અઘરો દાવ ગણાય છે. અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે ! એટલે કે તારો પ્રતિસ્પર્ધી જો તારો ડાબો હાથ પકડે તો જ એ આ ચાલમાંથી છટકી શકે. જે એના માટે શક્ય જ નહોતું. કારણ કે, તારો ડાબો હાથ તો છે નહીં ? પછી એ શું પકડે ? એટલે તારી જીત નકકી જ હતી !”

વિવેક આશ્ચર્ય અને અહોભાવથી ગુરુ સામે જોઈ રહ્યો. ગુરુએ એની સૌથી મોટી ખામીને જ એની સૌથી મોટી ખૂબી બનાવી દીધી હતી ! ગુરુનું આ જ કર્તવ્ય છે. પોતાના શિષ્યની ખામીમાંથી ખૂબીમાં પરિવર્તિત કરી દે છે. તેથી દરેક માનવે જીવનમાં સુખી થવા અને સફળતા પ્રાપ્ત કરવા સાચા ગુરુને શરણે જવું જોઈએ.

Comments

comments


8,662 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 8