ભગવાન શંકરને બધા જ લોકો જાણે છે, તેઓ દયાળુ છે અને સાથે જ તેનો ક્રોધ પણ ભયંકર છે. શિવ ભગવાનના ક્રોઘ થી બચવા માટે જો ઘરમાં શિવલિંગ હોય તો તેનો અહી જણાવેલ અનુસાર ખ્યાલ રાખી શકો છો.
* શિવલિંગ ને ક્યારેય એવા સ્થળે ન રાખવી જ્યાં તમે પૂજા ન કરતા હોવ. જો તમે આનું પૂજન યોગ્ય રીતે ન કરી શકતા હોવ તો આને ઘર પર ન રાખો.
* શિવલિંગ પર ક્યારેય હળદર નો પ્રયોગ ન કરવો. કારણકે હળદર નો ઉપ્યોગ સ્ત્રીઓ પોતાનું સૌન્દર્ય નિખારવા કરે છે.
* શિવલિંગ પર જલઘારા હંમેશા વહેતી રહેવી જોઈએ, જે ઉર્જાને શાંત રાખે.
* સિંદુર ને શિવલિંગ પર અર્પિત કરવું શુભ નથી માનવામાં આવતું.
* શિવલિંગ ઘર પર હોય તો ઘ્યાન રાખવું કે તેની આસપાસ ગૌરી કે ગણેશજી ની મૂર્તિ હોવી જોઈએ. શિવલિંગ ને ક્યારેય એકલી ન નાખવી.
* શિવલિંગ પર ક્યારેય પેકેટ વાળું દૂધ ન ચઢાવવું. આની જગ્યાએ તમે શુદ્ધ અને ઠંડુ દૂધ અર્પણ કરી શકો છો.