આયુર્વેદ અનુસાર ખાદ્ય પદાર્થોની આ વસ્તુઓને ક્યારેય એકસાથે ન મિક્સ કરવી. આનાથી તમને મોટા મોટા રોગો થઇ શકે છે. આપણા દાદા-દાદી આપણને હમેશા ભોજન કર્યા પછી અમુક વસ્તુઓને ખાવાની મનાઈ કરે છે. ખાવના શોખીન જયારે જમવા બેસે છે ત્યારે કઈ પણ જોતા નથી અને બસ ખાવા જ લાગે છે.
તેઓ જાણતા નથી કે કયા ખોરાક સાથે કયા ભોજન નું કોમ્બીનેશન કરવું અને કયું નહિ. જોકે, અમુક વસ્તુઓ ભોજનમાં ઘીમાં ઝેરનું કામ કરે છે.
* ડુંગળી અને દૂધનું સેવન એકસાથે ક્યારેય ન કરવું. આ બંને વસ્તુઓ એકબીજાની હરીફ છે. આ વસ્તુને એકસાથે ખાવામાં આવે તો ત્વચા સંબંધિત રોગો થાય છે. જેમકે ત્વચામાં સફેદ દાગ પડવા, ખંજવાળ આવવી વગેરે…
* દૂધ અને દહીંનું સેવન પણ એકસાથે ન કરવું. આનાથી તમને ઘસરકો, આંચકો (પેરાલીસિસ) થઇ શકે છે.
* બર્ગર અને પોટેટો ફ્રાઈઝ વધારે બોઈલ્ડ આહાર અને હાઈ લેવલના વસા અને અન્ય કેમિકલ મેળવેલો આહાર એક સાથે ખાતા ચારકોલ જેવો તત્વ બની જાય છે. જ્યારે આ પોટેટો ની ફ્રાઈઝ સાથે મિક્સ હોય છે ત્યારે શરીરમાં સોજો પેદા થાય છે અને એંજિંગ પ્રોસેસ શરૂ થઈ જાય છે.
* ખાટા ફાળોનું દૂધની સાથે સેવન ન કરવું. કારણકે આમાં સીડ્રિક એસીડ હોય છે. આ બંને વસ્તુઓમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનના પાચનનું મેકેનીઝ્મ અલગ હોય છે. આનાથી તમને ગેસ, એલર્જી અને ત્વચાની બીમારીઓ થઇ શકે છે.
* મધ અને ઘી નું સેવન પણ એકસાથે ન કરવું.
* દૂધ અને લીંબુ બન્ને જ સ્વાસ્થય માટે ખૂબ લાભદાયક છે. પરંતુ આ કોમ્બીનેશન ને એકસાથે ક્યારેય ન લેવું જોઈએ. આ બન્નેનું એકસાથે સેવન કરવાથી એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ પેદા થાય છે.
* નોનવેજ સાથે જ્યૂસ કે મીઠાઈ ન ખાવી. કારણ કે આના સેવનથી પેટ ખરાબ થઈ શકે છે. જેથી પેટમાં ગડબડ ની સમસ્યા થાય છે.