તમે એક સફળ વ્યક્તિ છો એમ જાણવું હોય તો શું કરશો ?
વેલ, એનો એક રસ્તો છે. નીચે જણાવેલા વિધાનો સાથે તમે કેટલા સહમત છે એ જોઈ જાઓ અને પછી જુવો
કે તમે સફળ છો કે કેમ ?
૧. સફળ વ્યક્તિનું જીવન ધ્યેય નક્કી હોય છે.
૨. એ હંમેશા સમસ્યામાં ગુચવાય જવાને બદલે એના ઉકેલ ઉપર વધારે ધ્યાન આપે છે.
૩. એને નિષ્ફળતા ડરાવી કે ડગાવી જતી નથી.
૪. એનો આત્મવિશ્વાસ દ્દ્રઢ હોય છે, અડગ હોય છે.
૫. કોઈ પણ પરિસ્થિતિને હકારાત્મક નજરે જોઇને એમાં એ સફળ થાય છે.
૬. એ સતત નવું અને ઉપયોગી શીખવાની વૃત્તિ ધરાવે છે.
૭. કોઈ ટીકા કરે તો એમાં એ સ્વસ્થ રહી એમાંથી એ પોતાની ભૂલ સમજી સવાયો લાભ મેળવે છે.
૮. કાંટામાં ગુલાબ અને ગુલાબમાં કાંટા બંને નો આનદ લઇ શકે છે.
૯. સતત બીજાને મદદ કરવા તત્પર રહે છે.
૧૦. એમના માટે જીવનમાં સંઘર્ષ નહિ, સંઘર્ષમાં જીવન છે.
૧૧. એ સચેત હોય છે, પણ શંકાશીલ નહિ.
૧૨. જોખમ ઉઠાવે પણ આંધળું નહિ, ગણતરી પૂર્વકનું.
૧૩. ઉંચી જવાબદારી લઇ એ કામને પૂર્ણ કરવામાં વિશ્વાસ ધરાવે છે.
૧૪. અનિશ્ચિતતાથી ડર્યા વિના સતત આગળ વધે છે.