* પારકી પંચાત કરશો નહી.
* તમામ પરિસ્થિતિ મા શાંત રહેજો.
* કડવા ઘુટડા ગળી જજો.
* કદી જીવ બાળશો નહી.
* તમારા કામકાજના વખાણ બીજા કરે એવું ઝંખશો નહી.
* કોઈની ઈર્ષા કરશો નહી.
* તમે જ તમારી જાતને સુધારો.
* જે અનિવાર્ય હોય તે સહન કરી લો.
* તમારી ફરજ ચુકશો નહી.
* રોજ ધ્યાનમાં બેસો.
* સતત સત્કાર્યમાં પરોવાયેલા જ રહો.
* નિસ્વાર્થ સેવા કરો.
* સારા-નરસા નો વિવેક કરતાં શીખો.
* જરૂરિયાત ઘટાડો.
* કરવા યોગ્ય જ કામ કરો.
* ખંતપૂર્વક સદ્દગુણો કેળવો.
* હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથોનુ વાંચન કરો.
* માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહી.
* દલીલબાજી થી દૂર રહો.
* બધામાં ઈશ્વર દર્શન કરો.
* જીવનમાં આવતા દુખોને પણ ઈશ્વરની પ્રસાદી માની સ્વીકારી લો.