આજે મોટાભાગના લોકો આ સમસ્યા નો સામનો કરી રહ્યા છે. તમે ઘર કામ કરો, ઉભા રહીને કામ કરો કે પછી ઓફિસે ખુરશી પર બેસીને કામ કરો તો પણ આ દુઃખાવો તો આવી જ જાય છે. કમર ના દુખાવાને કારણે માંસપેશીઓ માં તનાવ ઉત્પન્ન થાય છે અને આ દુખાવો વધવા લાગે છે. નીચેના ઉપાયોથી આ દુખાવામાં તમને ઘણો ફેર પડશે.
* અજમાના દાણા ને તવીમાં શેકીને થોડા ઠંડા દાણા થાય એટલે ઘીરે ઘીરે ચાવતા ગળી જવું. વારંવાર ૭ દિવસ સુધી આનું સેવન કરવાથી ૮ માં દિવસે તમને ફરક જણાશે.
* જે જગ્યાએ દુઃખાવો થતો હોય ત્યાં ૫ મિનીટ સુધી ગરમ શેક આપવો અને ૨ મિનીટ ઠંડો શેક આપવો.
* તવીમાં ૨ થી ૩ ચમચી મીઠું નાખી બરાબર શેકી લેવું. હવે એક સુતરાઉ કાપડમાં મીઠું નાખી બાંધી દેવું. હવે કમરે આ પોટલીથી ગરમ શેક કરવો.
* વધારે સમય સુધી એકની એક જ જગ્યાએ ન બેસી રહેવું. ૪૦ મિનીટ બાદ ખુરશીમાંથી ઉભા થઈને બહાર એક આટો મારી લેવો.
* કમરના દુખાવા માટે યોગ ખુબ જ ફાયદાકારક છે. ભુજંગાસન, શલભાસન, હલાસન, ઉત્તાનપાદાસન વગેરે જેવા યોગાસનો કરવા. આનાથી તમને લાભ થશે.
* જયારે તમે બેસો છો ત્યારે એકદમ સીધા પોસ્ચરમાં (ટટ્ટાર) બેસવું. લુઝ થઈને ન બેસવું.
* તલના તેલથી માલીશ કરવાથી આ સમસ્યા દુર થાય છે.
* દાદરમાં ચાલતા ઉતરતા ઘ્યાન રાખવું જેથી કમરમાં મચકોડ ન આવી જાય.