અમુક પ્રેરણાદાયી વચનો, જેણે હંમેશાં યાદ રાખવા!!

anh la nguoi em chang the goi ten

*   લાઈફમાં વધારે સબંધ હોવા જરૂરી નથી પણ જે સબંધ હોય તેમાં જીવન હોવું જરૂરી છે.

*   અમુક લોકો પોતાની જાત પર ક્યારેય વિશ્વાસ નથી કરતા જ્યાં સુધી કોઈ તેના પર વિશ્વાસ ન કરે.

*   પેટમાં ગયેલું ઝેર ફક્ત એક જ વ્યક્તિને મારે છે પણ કાનમાં ગયેલ ઝેર સેકડો લોકોને મારે છે.

*   કહેવાય છે સમય બધું ઠીક કરી નાખે છે. પણ સાચું તો એ જ છે કે આપણે દર્દ સાથે જીવવાનું શીખી જઈએ છીએ.

*   ખુશનસીબ એ નથી જેમનુ નસીબ સારું છે!  ખુશનસીબ તો એ છે જે પોતાના નસીબ થી ખુશ છે.

*   સારા લોકોની એક ખાસિયત એ પણ હોય છે કે તેમણે યાદ નથી રાખવા પડતા, તેઓ જાતે જ યાદ રહી જાય છે.

*   જીવન મળવું, એ ભાગ્ય પર નિર્ભર કરે છે, મૃત્યુ આવવું, એ સમય પર નિર્ભર છે. પરંતુ…. મૃત્યુ પછી પણ લોકોના દિલોમાં રહેવું એ પોતે કરેલા કર્મો પર આધારિત છે.

*   અસફળતા ને દિલમાં ન ઉતરવા દેવી અને સફળતાને માથા પર ન ચઢાવવી.

*   જિંદગી મળી છે જીવવા માટે એને હસતાં હસતાં જીવો કે કોઈ તમને જોઇને પણ હસે.

*   કોઈને હરાવવું ખુબ સહેલું છે પણ કોઈને જીતાવવું બહુ અધરું છે.

*   ક્યાં કોઈ મળે છે સમજવા વાળા, જે પણ મળે છે તે સમજાવી ને ચાલ્યા જાય છે.

Comments

comments


7,099 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 14